1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાનમ ડેમના 7 દરવાજા ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા
પાનમ ડેમના 7 દરવાજા ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

પાનમ ડેમના 7 દરવાજા ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

0
Social Share
  • પાનમ ડેમની હાલની જળ સપાટી 20 મીટરે પહોંચી,
  • ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાનમ ડેમમાં પાણીનીઆવક સતત વધી રહી છે,
  • ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી છોડવામાં આવી રહ્યુ છે

ગોધરાઃ જિલ્લામાં ભારે વરસાદને લીધે પાનમ ડેમની જળસપાટીમાં સતત વધારો થતા ડેમના 7 દરવાજા ખોલીને 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાનમ ડેમની હાલની જળ સપાટી 127.20 મીટરે પહોંચી્ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. ત્યારે પાનમ ડેમમાં પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.

પંચમહાલ અને મહિસાગર સહિત આસપાસના જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં અને જિલ્લામાં  પડી રહેલા ભારે વરસાદને કારણે પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. હાલ પાનમ ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલી 80.000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદી કાંઠાના અનેક ગામોને ઍલર્ટ રહેવાની સૂચના અપાઈ છે.

પાનમ ડેમની હાલની જળ સપાટી 127.20 મીટરે પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. ત્યારે પાનમ ડેમમાં પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જેથી પાનમ નદીના કિનારે આવેલા ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code