1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારે, 24 કલાકમાં 11 વ્યક્તિના મોત
દેશમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારે, 24 કલાકમાં 11 વ્યક્તિના મોત

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારે, 24 કલાકમાં 11 વ્યક્તિના મોત

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે.  આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે.

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, બીજી તરફ કોરોનામાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાથી વધારે 11 વ્યક્તિઓના મોત થતા મૃત્યુઆંક વધીને 108 ઉપર પહોંચ્યો છે. જેમાં કેરળમાં સાત, દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં એક-એક વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. કેરળમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા સાતેય લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. કોરોના ઉપરાંત, તેમને કેન્સર, કિડની અને ન્યુમોનિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા હતા. જ્યારે દિલ્હીમાં 67 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીએ જીવ ગુમાવ્યો હતો, તેમને ફેફસાંનું કેન્સર પણ હતું. આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેન્સર, કિડની રોગ અને હૃદય જેવા બીમારી હતી.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ, તો કેરળમાં સૌથી વધુ 1,920 કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્યારબાદ ગુજરાતમાં 1,433, દિલ્હીમાં 649 અને મહારાષ્ટ્રમાં 540 કેસ એક્ટિવ કેસ છે. નવા કેસોની વાત કરીએ દેશમાં કુલ 119 નવા કેસ નોંધાયા હતા. કેરળમાં સૌથી વધુ 87 કેસ નોંધાયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 38 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં 37 અને દિલ્હીમાં 33 નવા કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં પણ કોરોનાના 30 નવા કેસ નોંધાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code