1. Home
  2. ગુજરાતી
  3. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે

0
Social Share

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર આગામી 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ X પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, અને સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે.

રીજીજુએ સ્પષ્ટતા કરી હતી કે સ્વતંત્રતા દિવસના કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની કાર્યવાહી યોજાશે નહીં. આ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ખરડાઓ (બિલ) પર ચર્ચા હાથ ધરવામાં આવશે.

લોકસભાનું ચોમાસુ સત્ર અમદાવાદમાં પ્લેન ક્રેશ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત વિપક્ષ દ્વારા સરકારને પાકિસ્તાન સાથેના સીઝ ફાયર સહિતના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરાય તેવી શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code