
કેદારનાથમાં એર લિફ્ટ કરવામાં આવેલું હેલિકોપ્ટર ક્રેશ
નવી દિલ્હીઃ કેદારનાથ ધામમાં કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. જેથી MI-17ને હેલિકોપ્ટર દ્વારા તેને એર લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વાયર તૂટવાને કારણે કિસ્ટ્રલ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં લેન્ડિંગ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાદમાં, રિકવરી ઓપરેશન દરમિયાન Mi-17 હેલિકોપ્ટર દ્વારા તેને ઉપાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર સાથે જોડાયેલો વાયર તૂટી ગયો હતો અને હેલિકોપ્ટર પહાડો વચ્ચે પડ્યું હતું. જો કે, હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું ન હતું, જેથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ પાયલોટ અને અન્ય ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, એસડીઆરએફના જવાનોએ સ્થળ પર હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો.
tags:
Aajna Samachar Air lifted Breaking News Gujarati Crash Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar helicopter In Kedarnath Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news