1. Home
  2. ગુજરાતી
  3. તમને પણ અંધરાથી લાગે છે ડર? તો હોઈ શકે છે આ બીમારીઓનો સંકેત
તમને પણ અંધરાથી લાગે છે ડર? તો હોઈ શકે છે આ બીમારીઓનો સંકેત

તમને પણ અંધરાથી લાગે છે ડર? તો હોઈ શકે છે આ બીમારીઓનો સંકેત

0
Social Share

કેટલાક લોકો અંધારાથી ડરતા હોય છે, પમ આ ડર હદથી વધારે વધી જાય અને તમારી રોજીંદી જીંદગી પર અસર કરે તો તેને નઝરઅંદાઝ કરવું બરોબર નથી.

અંધારાનો ડર જેને ‘નાયક્ટોફોબિયા’ કહેવાય છે, તે એક એવો ડર છે જે વ્યક્તિને અંધારામાં હોય ત્યારે ભારે ચિંતા, ગભરાટ અને તણાવ મહેસૂસ કરાવે છે. આ ડર નાનપણથી શરૂ થઈ શકે છે, પણ કેટલીકવાર મોટા થયા પછી પણ ચાલુ રહે છે. આ ડર એટલો વધી જાય છે કે અંધારામાં ઊંઘી શકતા નથી, અથવા તમે અંધારાના વિચારથી ડરવા લાગો છો, તો તે ગંભીર સમસ્યા બની શકે છે.

આ સમસ્યાના ઘણા લક્ષણો છે જેમ કે અંધારામાં ધબકારા વધવા, પરસેવો થવો, ગભરાટ અનુભવવો અથવા અંધારામાં જવાનું ટાળવાનો પ્રયાસ કરવો. કેટલાક લોકોને અંધારાના લીધે ઉંઘ ના આવવી, ખરાબ સપના અથવા રાત્રે અંધારાને કારણે વારંવાર જાગવા જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

જો તમને લાગે છે કે તમે આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો સૌ પ્રથમ તેને સ્વીકારો. કોઈની સાથે વાત કરો, પછી ભલે તે પરિવારનો સભ્ય હોય, મિત્ર હોય કે પ્રોફેશનલ હોય. આ સિવાય, ધીમે ધીમે અંધકારનો સામનો કરવાનો પ્રયાસ કરો. શરૂઆતમાં ઝાંખા પ્રકાશમાં સૂઈ જાઓ અને પછી ધીમે ધીમે અંધારામાં સમય પસાર કરતાં શીખો.

જો તમારો ડર ખૂબ જ વધારે છે અને તમે તેને જાતે કંટ્રોલ કરી શકતા નથી, તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. સમયસર સારવારથી આ ડર દૂર થઈ શકે છે અને તમે તમારું જીવન સામાન્ય રીતે જીવી શકો છો.

#Nyctophobia#FearOfDarkness#MentalHealthAwareness#OvercomingFear#PhobiaTreatment#AnxietyDisorders#NightTimeAnxiety#EmotionalWellness#StressManagement#MentalHealthSupport#SelfHelpTips#PhobiaHelp#CopingStrategies#DarknessFear#MentalHealthCare#ProfessionalHelp#PersonalGrowth#HealthAndWellness#ManagingAnxiety#TherapyAndCounseling

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code