1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એરકાર્ગોના ભાડામાં વધારો છતાં તલાળાથી કેસર કેરીના 800 બોક્સની એમેરિકામાં નિકાસ
એરકાર્ગોના ભાડામાં વધારો છતાં તલાળાથી કેસર કેરીના 800 બોક્સની એમેરિકામાં નિકાસ

એરકાર્ગોના ભાડામાં વધારો છતાં તલાળાથી કેસર કેરીના 800 બોક્સની એમેરિકામાં નિકાસ

0
Social Share

જૂનાગઢ, 13 એપ્રિલ 2026: 800 boxes of saffron mangoes from Talala are exported to America તલાળાની પ્રખ્યાત અને સ્વાદમાં મધૂર ગણાતી કેસર કેરીની દર વર્ષો અમેરિકામાં નિકાસ થતી હોય છે. આ વખતે વિપરિત હવામાનને લીધે કેસર કેરીના પાકને અસર થઈ છે. બીજીબાજુ ઈરાન-ઈઝરાઈલ વચ્ચે યુદ્ધને કારણે એરકાર્ગોના ભાડામાં પણ વધારો થયો છે. છતાં તાલાલાથી અમેરિકાના વોશિંગ્ટન ખાતે 800 બોક્સ (અઢી ટન) કેસર કેરીનો પ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવ્યો છે.

તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં કેસર કેરીનું ગ્રેડિંગ, વોશિંગ અને પેકિંગ કરવામાં આવ્યું હતું. તે પહેલાં ખેડૂતો પાસેથી ખરીદેલી કેરીને અમદાવાદના બાવળા ખાતે રેડિયેશન પ્રોસેસ માટે લઈ જવામાં આવી હતી. અહીં 12 નંગ અને ત્રણ કિલોગ્રામના આકર્ષક પેકિંગમાં 800 બોક્સ તૈયાર કરાયા હતા. અમેરિકામાં ગિરનારની કેસર કેરીની માગ સૌથી વધુ રહેતી હોય છે.

 કેસર કેરીના નિકાસકારોના કહેવા મુજબ ચાલુ વર્ષે કેસર કેરીની સિઝનનું આ પહેલું કન્સાઇનમેન્ટ એરકાર્ગો દ્વારા અમેરિકાના વોશિગ્ટન માટે રવાના કરાયું છે. યુદ્ધને કારણે એર કાર્ગોના ભાડામાં મોટો વધારો થયો છે; ગત વર્ષે યુએસ માટે પ્રતિ કિલો ₹350 ભાડું હતું, જે આ વર્ષે ₹600 પ્રતિ કિલો થઈ ગયું છે.  યુદ્ધની પરિસ્થિતિને કારણે આ વર્ષે ગલ્ફના દેશો જેવા કે સાઉદી અરેબિયા, કતાર, દુબઈ, કુવૈત અને ઓમાન સહિતના દેશોમાં કેરીની નિકાસ થવાની સંભાવના નહિવત છે. ગત વર્ષે આ દેશોમાં 100 ટનથી વધુ કેરી નિકાસ થઈ હતી. જોકે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં યુદ્ધવિરામની પરિસ્થિતિ બનતા નિકાસ પ્રક્રિયા શરૂ થઈ છે. વિદેશમાં કેરી નિકાસ કરવા માટે ગીર વિસ્તારના સ્થાનિક ખેડૂતો પાસેથી કેરેટમાં કેરી ખરીદવામાં આવે છે. ડાઘ વગરની ચોખ્ખી કેરી ઊંચા ભાવે ખરીદાય છે. નિકાસકારો 21 કિલોના કેરેટ દીઠ ₹1,600 થી ₹2,200 ચૂકવીને કેરી ખરીદે છે, ત્યારબાદ પ્રોસેસિંગ અને મોકલવાનો ખર્ચ ઉમેરાય છે.

અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કેરી અને અન્ય ફળો-શાકભાજીની નિકાસ માટે રેડિયેશન પ્રોસેસ ફરજિયાત છે. તાલાલામાં APEDA માન્ય પેક હાઉસ કાર્યરત છે, પરંતુ રેડિયેશન પ્રોસેસ માટે નિકાસકારોને અમદાવાદના બાવળા અથવા મુંબઈ જવું પડે છે. ગીરમાં જ રેડિયેશન પ્રોસેસ પ્લાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે તો કેરી સહિતના ફળોની નિકાસમાં ઘણી અનુકૂળતા રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code