1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એસટીમાં ડ્રાઇવરની ભરતી, 9337 ઉમેદવારનો ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરીમાં યોજાશે
એસટીમાં ડ્રાઇવરની ભરતી, 9337 ઉમેદવારનો ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરીમાં યોજાશે

એસટીમાં ડ્રાઇવરની ભરતી, 9337 ઉમેદવારનો ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરીમાં યોજાશે

0
Social Share
  • લેખિત પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારોને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવાયા
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે
  • કેટેગરીવાઇઝ કટ ઓફ મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી

ગાંધીનગરઃ ગુજરાત એસ ટી નિગમ દ્વારા ડ્રાઇવરની ભરતી માટે લેવાયેલી લેખિત પરીક્ષાના આધારે વિવિધ અનામત કેટેગરી મુજબ મેરીટ યાદી તૈયાર કરી છે. જેના આધારે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે 9337 ઉમેદવારોને ઈન્ટરવ્યુ કોલ મોકલવામાં આવશે. એસ ટી નિગમ દ્વારા ડ્રાઇવીંગ ટેસ્ટ ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થાય પછી લેવામાં આવશે. જોકે ડ્રાઇવીંગ ટેસ્ટ માટેની તારીખ, સમય અને સ્થળની આગામી સમયમાં જાહેરાત કરાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટીના  ડ્રાઇવરોની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના માટે એસ ટી નિગમ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીઓના આધારે મેરીટ યાદી તૈયાર કરીને તેના આધારે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે એસ ટી નિગમે અલગ અલગ કેટેગરીવાઇઝ મેરીટ યાદી તૈયાર કરવામાં આવી છે. આ મેરીટ યાદીના આધારે એસ ટી નિગમ દ્વારા ઉમેદવારોને ડ્રાઇવીંગ ટેસ્ટ માટે 9337 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. જોકે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આદર્શ આચારસંહિતા હોવાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવશે નહી. આથી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય નહી એટલે ડ્રાઇવીંગ ટેસ્ટનું આયોજન એસ ટી નિગમે આગામી ફેબ્રુઆરી-2025ના બીજા પખવાડિયામાં યોજવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર 9337 ઉમેદવારોમાંથી માજી સૈનિક, અનુસુચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિ, આર્થિક રીતે નબળા અને બિન અનામત કેટેગરીના ઉમેદવારોને મેરીટના આધારે બોલાવવામાં આવ્યા છે.

એસ ટી બસમાં ડ્રાઇવર બનવા માટે ઉમેદવારોએ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે ઈન્ટરવ્યુ કોલ મોકલવામાં આવશે.  તેમાં દરેક કેટેગરીવાઇઝ કટ ઓફ મેરીટના આધારે પસંદગી કરવામાં આવી છે. જોકે તમામ કેટેગરીવાઇઝ ઉમેદવારોને મેરીટના આધારે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે બોલાવવા માટે 1:3નો રેસિયો નક્કી કરવામાં આવ્યો છે. આથી ડ્રાઇવીંગ ટેસ્ટમાં 1:3 રેસિયા મુજબના ઉમેદવારો હાજર નહી રહે તો ત્યારબાદ 1:3 રેસિયા પછીના ક્રમના ઉમેદવારોને ડ્રાઇવીંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેવો એસ ટી નિગમે કરેલા આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એસ ટી નિગમ દ્વારા ડ્રાઇવીંગ ટેસ્ટ ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થાય પછી લેવામાં આવશે. જોકે ડ્રાઇવીંગ ટેસ્ટ માટેની તારીખ, સમય અને સ્થળની આગામી સમયમાં જાહેરાત કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code