1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિવરાત્રિના મેળાને લીધે ગિરનાર રોપ-વેના ટિકિટ દરમાં રૂપિયા 69નો ઘટાડો
શિવરાત્રિના મેળાને લીધે ગિરનાર રોપ-વેના ટિકિટ દરમાં રૂપિયા 69નો ઘટાડો

શિવરાત્રિના મેળાને લીધે ગિરનાર રોપ-વેના ટિકિટ દરમાં રૂપિયા 69નો ઘટાડો

0
Social Share

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથમાં દર વર્ષે શિવરાત્રિનો મહામેળો યોજાઈ છે. આ વખતે 5 દિવસીય મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ તા.11મી ફેબ્રુઆરીને બુધવારથી થશે. આ મહામેળા માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગિરનારની ટુક પર રોપવેમાં જઈ શકે તે માટે રોપ-વેના સંચાલકોએ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

જુનાગઢમાં શિવરાત્રિના મહા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. 699 હતો, તે હવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂ. 630માં ઉપલબ્ધ થશે. આ રાહત દરનો કારણે 11થી 15 ફેબ્રુઆરી સુધી સામાન્ય શ્રદ્ધાળુઓના અમલ કરાશે. આ સમયગાળા દરમિયાન મેળામાં આવતા હજારો ભક્તો આ સુવિધાનો લાભ લઈ શકશે.

​મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનારની સીડીઓ ચઢવામાં અસમર્થ એવા વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ લોકહિતના નિર્ણયથી શ્રદ્ધાળુઓને ફાયદો થશે. ગિરનાર તળેટીમાં જ્યારથી રોપ-વે સેવા શરૂ થઈ છે, ત્યારથી ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં વધારો થતો જાય છે. રોપ-વેની આશરે 10 મિનિટની સફર પ્રવાસીઓ માટે રોમાંચક બની રહી છે. પ્રવાસીઓ ઊંચાઈએથી પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય માણવા ગિરનાર આવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code