ભારતનો એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે- વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારતની સામે એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે અને ભારતે સ્વતંત્રતા બાદથી સતત આતંકવાદના પડકારનો સામનો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે દાયકાઓથી, વિશ્વમાં મોટા આતંકવાદી હુમલાઓના મૂળિયાં તે દેશમાં જ નંખાયેલા છે. વિદેશ મંત્રીએ આ વર્ષે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારતે આતંકવાદ સામે પોતાના લોકોને બચાવવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.
ડૉ. જયશંકરે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર હાલમાં કટોકટીની સ્થિતિમાં છે જેમાં સુધારાઓનો વિરોધ તેની વિશ્વસનીયતાના ધોવાણનું એક મુખ્ય કારણ છે. તેમણે પરિષદના કાયમી અને બિન-કાયમી સભ્યપદના વિસ્તરણ માટે હાકલ કરી હતી.
tags:
Aajna Samachar Breaking News Gujarati Centre of global terrorism External Affairs Minister Dr. S. Jaishankar Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar india Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav neighboring country News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news


