
નવી દિલ્હીઃ ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર બધાનું ધ્યાન દેશમાં ઉડ્ડયન અને સલામતી પર કેન્દ્રિત કર્યું છે. આ પહેલાની છેલ્લી મોટી દુર્ઘટના 2020 માં કાલિકટમાં બની હતી, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૨ નવેમ્બર, 1996ના રોજ ચરખી દાદરીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 349 લોકો મૃત્યુ પામ્યા હતા, તે દેશનો સૌથી મોટો હવાઈ અકસ્માત હતો.
છેલ્લા દાયકાઓમાં થયેલા કેટલાક મોટા નાગરિક હવાઈ અકસ્માતોની યાદી
1. કાલિકટ (કોઝીકોડ) હવાઈ દુર્ઘટના (7 ઓગસ્ટ, 2020): દુબઈથી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 1344 કાલિકટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે ક્રેશ થઈ હતી, જેમાં 21 લોકોના મોત થયા હતા. વિમાન ભીના રનવે પરથી સરકી ગયું અને તેના બે ભાગમાં થયા હતા.
2. મેંગલોર વિમાન દુર્ઘટના (22 મે, 2010): એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 812 મેંગલોરમાં રનવે પરથી લપસી જતા તૂટી ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 158 લોકોનાં મોત થયા હતા.
3. પટણા વિમાન દુર્ઘટના (17 જુલાઈ, 2000): એલાયન્સ એર ફ્લાઇટ 7412 પટણામાં લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું, જેમાં 60 થી વધુ લોકોનાં મોત થયા. પાઇલટની ભૂલને કારણે વિમાને નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
4. ચરખી દાદરી વચ્ચે હવામાં ટક્કર (12 નવેમ્બર, 1996): સાઉદી અરેબિયન એરલાઇન્સ બોઇંગ 747 અને કઝાકિસ્તાન એરલાઇન્સ ઇલ્યુશિન IL-76 દિલ્હી નજીક અથડાયા, જેમાં બંને વિમાનમાં સવાર તમામ 349 લોકોનાં મોત થયા. કારણ પાઇલટની ભૂલ અને એર ટ્રાફિક કંટ્રોલ સાથે ખોટી વાતચીત હતી.
5. ઔરંગાબાદ હવાઈ દુર્ઘટના (26 એપ્રિલ, 1993): ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 491, બોઇંગ 737, ઔરંગાબાદથી ઉડાન ભર્યા પછી ટ્રક અને વીજળીના વાયર સાથે અથડાઈ, જેમાં ૫૫ લોકો માર્યા ગયા.
6. ઈમ્ફાલ હવાઈ દુર્ઘટના (16 ઓગસ્ટ, 1991): ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 257 ઈમ્ફાલ નજીક ક્રેશ થઈ, જેમાં સવાર તમામ 69 લોકો માર્યા ગયા.
7. બેંગ્લોર હવાઈ દુર્ઘટના (14 ફેબ્રુઆરી, 1990): ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ 605, એરબસ એ320, બેંગ્લોર નજીક ક્રેશ થઈ, જેમાં 92 લોકો માર્યા ગયા.
8. અમદાવાદ હવાઈ દુર્ઘટના (19 ઓક્ટોબર, 1988): ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ 113 અમદાવાદમાં ક્રેશ થઈ, જેમાં ૧૩૩ લોકો માર્યા ગયા.
9. બોમ્બે હવાઈ દુર્ઘટના (21 જૂન, 1982): એર ઈન્ડિયાની ફ્લાઈટ 403, બોમ્બે એરપોર્ટ પર ક્રેશ થઈ, જેમાં 17 લોકો માર્યા ગયા.
10. બોમ્બે હવાઈ દુર્ઘટના (1 જાન્યુઆરી, 1987): એર ઈન્ડિયાની ફ્લાઇટ 855 (બોઇંગ 747) મુંબઈથી ઉડાન ભર્યા પછી અરબી સમુદ્રમાં ક્રેશ થઈ ગઈ, જેમાં સવાર તમામ 213 લોકોના મોત થયા.