1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં લિયોનલ મેસીનું હજારો પ્રશંસકો દ્વારા જોરદાર સ્વાગત કરાયું
ભારતમાં લિયોનલ મેસીનું હજારો પ્રશંસકો દ્વારા જોરદાર સ્વાગત કરાયું

ભારતમાં લિયોનલ મેસીનું હજારો પ્રશંસકો દ્વારા જોરદાર સ્વાગત કરાયું

0
Social Share

નવી દિલ્હીઃ આર્જેન્ટિના ફૂટબોલ ટીમના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસી ભારતના પ્રવાસે છે. શનિવારે વહેલી સવારે મેસી કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં તેમના પ્રશંસકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડી મેસીના ભારતમાં આવવાથી તેમના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા. મેસી વહેલી સવારે 3.23 વાગ્યે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા અને ટર્મિનલમાંથી બહાર નીકળીને હોટેલ જવા રવાના થઈ ગયા. આ દરમિયાન એરપોર્ટ અને રસ્તામાં તૈનાત તેમના પ્રશંસકો આ ફૂટબોલરની એક ઝલક મેળવવા માટે આતુર દેખાયા અને ‘મેસી-મેસી’ના નારા લગાવ્યા.

એક પ્રશંસકે જણાવ્યું, “હું તેમને સ્પષ્ટ રીતે જોઈ શક્યો નહીં, પણ હા, મને ખબર છે કે તે અમને બધાને જોઈ રહ્યા હતા. અમારા હૃદયમાં જે ઉત્તેજના છે, તેને અમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.” અન્ય એક પ્રશંસકે જણાવ્યું, “2008માં, જ્યારે ડિયેગો મેરાડોના આવ્યા હતા, ત્યારે આખો વીઆઈપી બાયપાસ ખચાખચ ભરેલો હતો, અને આજે પણ તેવું જ છે કારણ કે ફૂટબોલના બીજા ભગવાન લિયોનલ મેસી આવી રહ્યા છે.” અન્ય એક પ્રશંસકે જણાવ્યું, “ચોક્કસ મેસી આવી રહ્યા છે, તેથી જ અમે અહીં છીએ, અને અમે ખરેખર તેમની રાહ જોઈ રહ્યા છીએ. મેસીને પોતાની આંખોથી જોવું એટલે ભગવાનને જોવા જેવું છે.”

‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ ના આયોજક, શતાદ્રુ દત્તાએ કહ્યું, “મેસી પ્રથમ વખત, તેઓ પોતાની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે; આ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. ઉદ્ઘાટન વર્ચ્યુઅલી થશે.” આર્જેન્ટિનાને પોતાની કપ્તાનીમાં FIFA વિશ્વ કપ 2026 નો ખિતાબ અપાવનાર લિયોનલ મેસીનો ભારત પ્રવાસ ત્રણ દિવસનો (13 થી 15 ડિસેમ્બર) છે. આ દરમિયાન તેઓ ભારતના ચાર મોટા શહેરોમાં જશે, સાથે જ એક મૈત્રીપૂર્ણ મેચમાં પણ સામેલ થશે.

શનિવારે સવારથી તેમનું મીટ-એન્ડ-ગ્રીટ સેશન શરૂ થશે. આ પછી તેમની 70 ફૂટ લાંબી પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ થશે. ત્યારબાદ મેસી યુવા ભારતી ક્રીડાંગણ જશે. તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, અભિનેતા શાહરૂખ ખાન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હાજર રહી શકે છે. કોલકાતામાં મેસી એક ફ્રેન્ડલી મેચ પણ રમશે. આયોજકોએ સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમ માટે 78,000 સીટો સુરક્ષિત રાખી છે. તેના માટે ટિકિટોની કિંમત ₹7,000 સુધીની છે. આ પછી બપોરે 2 વાગ્યે મેસી હૈદરાબાદ માટે રવાના થઈ જશે. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં તેઓ એક પ્રદર્શન મેચમાં સામેલ થશે. તેમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ ભાગ લેશે. આ દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code