
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર આગામી 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ X પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, અને સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે.
રીજીજુએ સ્પષ્ટતા કરી હતી કે સ્વતંત્રતા દિવસના કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની કાર્યવાહી યોજાશે નહીં. આ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ખરડાઓ (બિલ) પર ચર્ચા હાથ ધરવામાં આવશે.
લોકસભાનું ચોમાસુ સત્ર અમદાવાદમાં પ્લેન ક્રેશ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત વિપક્ષ દ્વારા સરકારને પાકિસ્તાન સાથેના સીઝ ફાયર સહિતના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરાય તેવી શક્યતા છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news