1. Home
  2. ગુજરાતી
  3. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે

0
Social Share

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર આગામી 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ X પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, અને સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે.

રીજીજુએ સ્પષ્ટતા કરી હતી કે સ્વતંત્રતા દિવસના કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની કાર્યવાહી યોજાશે નહીં. આ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ખરડાઓ (બિલ) પર ચર્ચા હાથ ધરવામાં આવશે.

લોકસભાનું ચોમાસુ સત્ર અમદાવાદમાં પ્લેન ક્રેશ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત વિપક્ષ દ્વારા સરકારને પાકિસ્તાન સાથેના સીઝ ફાયર સહિતના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરાય તેવી શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code