1. Home
  2. ગુજરાતી
  3. મુસ્લિમ બહુમતી ધરાવતા કિર્ગિસ્તાને મહિલાઓના બુરખા ઉપર ફરમાવ્યો પ્રતિબંધ
મુસ્લિમ બહુમતી ધરાવતા કિર્ગિસ્તાને મહિલાઓના બુરખા ઉપર ફરમાવ્યો પ્રતિબંધ

મુસ્લિમ બહુમતી ધરાવતા કિર્ગિસ્તાને મહિલાઓના બુરખા ઉપર ફરમાવ્યો પ્રતિબંધ

0
Social Share

મુસ્લિમ બહુમતી ધરાવતા કિર્ગિસ્તાને બુરખા પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. કિર્ગિસ્તાનની સરકારનું કહેવું છે કે, આતંકવાદીઓ બુરખામાં છુપાયેલા હોઈ શકે છે, તેથી મહિલાઓએ આખા શરીરનો બુરખો પહેરીને રસ્તાઓ પર ન ચાલવું જોઈએ. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર, મુસ્લિમોના આધ્યાત્મિક વહીવટ (મુફતાયત) એ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે જેમાં જણાવાયું છે કે મહિલાઓ સંપૂર્ણ શરીર ઢંકાયેલો નકાબ કે બુરખો પહેરી શકતી નથી. મુફ્તીઆતે કહ્યું છે કે જે સ્ત્રીઓ પોતાનું આખું શરીર ઢાંકીને ફરે છે તેઓ એલિયન જેવી દેખાય છે. એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે સ્ત્રીઓ ફક્ત ચહેરો ઢાંકીને ફરે.

મુફતીઆતે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે શરિયા કાયદા હેઠળ માથાથી પગ સુધી ઢાંકવું ફરજિયાત નથી. તેથી, આવા નિર્ણયો સામે ફતવો જારી કરી શકાતો નથી. સરકારના આ નિર્ણયોને દરેક વ્યક્તિએ તાત્કાલિક સ્વીકારવા જોઈએ. મુફતીયાતે વધુમાં જણાવ્યું હતું કે સરકારે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લીધો છે. સરકાર શું કહે છે તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સરકારનો તર્ક છે કે જો નકાબ અને બુરખા પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો ગુનામાં વધારો થઈ શકે છે. સરકાર કહે છે કે ગુનેગારો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. અમે આના ઉદાહરણો જોયા છે, જેના પછી અમે તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

બુરખા અંગેના આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ જેલની સજા અને 20 હજાર સોમ (સ્થાનિક ચલણ) ના દંડની જોગવાઈ છે. જાન્યુઆરી 2025 માં, સરકારે આ કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. દેશના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નકાબ પહેરનારાઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરીને કાર્યવાહી કરવામાં આવશે. કિર્ગિસ્તાનની 90 ટકા વસ્તી મુસ્લિમ છે. અહીં સુન્ની મુસ્લિમોની સંખ્યા વધુ છે. મુસ્લિમો પછી, ખ્રિસ્તી ધર્મના લોકો અહીં રહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code