1. Home
  2. ગુજરાતી
  3. ચંદીગઢ ગ્રેનેડ હુમલાનું પાકિસ્તાન અને કેનેડાનું કનેક્શન ખૂલ્યું
ચંદીગઢ ગ્રેનેડ હુમલાનું પાકિસ્તાન અને કેનેડાનું કનેક્શન ખૂલ્યું

ચંદીગઢ ગ્રેનેડ હુમલાનું પાકિસ્તાન અને કેનેડાનું કનેક્શન ખૂલ્યું

0
Social Share

નવી દિલ્હીઃ ચંદીગઢ સેક્ટર-10માં પંજાબ પોલીસના રિટાયર્ડ અધિકારીના ઘરે ગ્રેનેડ હુમલાના કેસમાં ગેંગસ્ટર અને પંજાબ કનેક્શન સામે આવ્યું છે. વિદેશી ગેંગસ્ટર હેપ્પી પાસિયાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબમાં આતંકવાદના સમયગાળા દરમિયાન નાકોદરમાં ચાર લોકોના એન્કાઉન્ટરનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના ઘર પર હુમલો થયો હતો તે પોલીસ અધિકારી 1986માં ત્યાં તૈનાત હતા.

હુમલા બાદ દાવો કર્યો હતો કે આ હુમલાનું પંજાબ અને ગેંગસ્ટર સાથે કનેક્શન છે. એવો પણ અહેવાલ આપ્યો હતો કે ગ્રેનેડ હુમલો પાકિસ્તાનથી થયો હોઈ શકે છે અને હરવિંદર સિંહ રીડા અને કેનેડામાં તેના સહયોગી હેપ્પી પાસિયાન. પંજાબ પોલીસને તેમના પર શંકા હતી. પંજાબ પોલીસના પૂર્વ એસપીને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એસપીએ પોતાનું નિવાસ સ્થાન બદલી નાખ્યું હતું. ગયા વર્ષે ગેંગસ્ટર પર રેકેટ ચલાવવામાં આવ્યું હતું.

ચંદીગઢના સેક્ટર-10 સ્થિત કોઢી(હાઉસ નંબર 575)માં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં સાંજે લગભગ 6.15 કલાકે થયો હતો. આ ગ્રેનેડ શિમલા યુમિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર કેકે મલ્હોત્રામા ઘર નંબર 575ની અંદર ચાલતી ઓટો રિક્ષામાંથી ફેંકવામાં આવ્યો હતો. ગ્રેનેડ ઘરની સામેના પ્રાંગણમાં વિસ્ફઓટ થયો, જ્યાં મલ્હોત્રાના પુત્રો વોનમાં બેઠા હતા.

જો કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઓટો રિક્ષા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ હરમનજીત સિંહ સિદ્ધુ ઘરના પહેલા માળે ભાડેથી રહે છે. તે જ સમયે, પટિયાલા ગેટ, નાભા નિવાસી અન્ય ભાડુઆત સુષ્મા પણ અહીં રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code