1. Home
  2. ગુજરાતી
  3. લાંબા ગાળાના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ હવે નવેસરથી અરજી કરવી પડશે
લાંબા ગાળાના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ હવે નવેસરથી અરજી કરવી પડશે

લાંબા ગાળાના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ હવે નવેસરથી અરજી કરવી પડશે

0
Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાની નાગરિકો માટે લાંબા ગાળાના વિઝા નીતિ અંગે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે બધા પાકિસ્તાની નાગરિકો લાંબા ગાળાના વિઝા એટલે કે LTV ધરાવે છે અને જેમણે ભારતીય નાગરિકત્વ મેળવ્યું નથી, તેમણે હવે ઇલેક્ટ્રોનિક ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (e-FFRO) ના પોર્ટલ પર ચકાસાયેલ દસ્તાવેજો સાથે નવેસરથી અરજી કરવાની રહેશે. રાજસ્થાન સરકારે રાજ્યમાં રહેતા આવા પાકિસ્તાની નાગરિકો માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે અને તેમને બે મહિનાના સમયગાળામાં જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા જણાવ્યું છે.

રાજસ્થાનના પોલીસ મહાનિરીક્ષક (સુરક્ષા) ડૉ. વિષ્ણુકાંતના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયના વિદેશ વિભાગ-I ના અંડર સેક્રેટરી પ્રતાપ સિંહ રાવત દ્વારા આ સંદર્ભમાં આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ, ફોરેનર્સ એક્ટ, 1946 ની કલમ 3 (1) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરવાનો અને ૨૫ એપ્રિલના મંત્રાલયના આદેશને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના દ્વારા આ આદેશ હેઠળના તમામ લાંબા ગાળાના વિઝા ધારકોને તેમના વિઝા રદ કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code