
અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ દૂર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી લંડન જઈ રહ્યાં હોવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન મુસાફરોની યાદીમાં વિજ્ય રૂપાણીનું નામ જોવા મળ્યું હતું. તેમજ સોશિયલ મીડિયામાં ફ્લાઈટમાં પ્રવાસ કરતા વિજ્ય રૂપાણીનો ફોટોગ્રાફ વાયરલ થયો છે. જો કે, આ ફોટોગ્રાફને લઈને રિવોઈ(રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) કોઈ પુષ્ટી કરતું નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદથી બપોરના સમયે લંડન જવા માટે 230 જેટલા પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર સાથેની ફ્લાઈટ રવાના થઈ હતી. ટેકઓફ દરમિયાન પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ફ્લાઈટમાં વિજય રૂપાણી પ્રવાસ કરતા હોવાની અટકળો વહેતી થઈ હતી. વિજ્યભાઈના પત્ની અંજલી રૂપાણી કેટલાક સમયથી લંડનમાં છે. વિજ્યભાઈ રૂપાણીની દીકરી અને જમાઈ લંડનમાં જ વસવાટ કરે છે. જેથી તેઓ પત્નીને લેવા માટે લંડન જવાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દરમિયાન ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ સાથે બે દિવસ પહેલા જ વાત થઈ હતી અને તેઓ લંડન જવાનું કહેતા હતા. જો કે, આ જ ફ્લાઈટમાં ગયા છે કે કેમ તે ખ્યાલ નથી.