1. Home
  2. ગુજરાતી
  3. કેજરિવાલના મનમાં આબકારી નિતિને મામલે પહેલાથી જ ખાનગીકરણનો વિચાર હતોઃ CBI
કેજરિવાલના મનમાં આબકારી નિતિને મામલે પહેલાથી જ ખાનગીકરણનો વિચાર હતોઃ CBI

કેજરિવાલના મનમાં આબકારી નિતિને મામલે પહેલાથી જ ખાનગીકરણનો વિચાર હતોઃ CBI

0
Social Share

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તાજેતરમાં એક પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં જણાવ્યું છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આ નીતિ ઘડવા અને અમલીકરણ સંબંધિત ગુનાહિત કાવતરામાં સામેલ હતા”. સીબીઆઈએ આ કેસમાં પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરીને તેની તપાસ પૂર્ણ કરી હોવાનું જાણવા મળે છે. તેમણે આરોપ લગાવ્યો કે, કેજરીવાલના મનમાં આબકારી નીતિને લઈને પહેલાથી જ “ખાનગીકરણનો વિચાર” હતો. ભ્રષ્ટાચારના આક્ષેપો થયા બાદ આ નીતિ રદ કરવામાં આવી હતી.

સીબીઆઈએ કહ્યું, “જ્યારે મનીષ સિસોદિયાના નેતૃત્વ હેઠળના મંત્રીઓના જૂથ દ્વારા નીતિ તૈયાર કરવામાં આવી રહી હતી, ત્યારે તેમણે (કેજરીવાલે) માર્ચ 2021માં તેમની પાર્ટી ‘આપ’ માટે નાણાકીય સહાયની માંગ કરી હતી.” સિસોદિયા આ કેસમાં સહઆરોપી છે. “કેજરીવાલના નજીકના સહયોગી અને આમ આદમી પાર્ટી (AAP)ના મીડિયા અને સંચાર પ્રભારી અને સહ-આરોપી વિજય નાયર દિલ્હીમાં દારૂના કારોબારમાં વિવિધ હિસ્સેદારોનો સંપર્ક કરી રહ્યા હતા અને અનુકૂળ આબકારી નીતિના બદલામાં તેમની પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા હતા,” સીબીઆઈએ જણાવ્યું હતું.’ ‘ AAPએ આ આરોપોને નકારી કાઢ્યા છે. કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા કેસમાં તિહાર જેલમાં બંધ હતા. કેજરીવાલે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સીબીઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે વિજય નાયરે સહ-આરોપી અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના નેતા કે કવિતાની આગેવાની હેઠળના ‘દક્ષિણ જૂથ’ના આરોપીઓનો સંપર્ક કરવા માટે કેજરીવાલ માટે એક માધ્યમ તરીકે કામ કર્યું હતું. CBIએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે રાજ્યના બે ભૂતપૂર્વ ધારાસભ્યો, જેઓ AAPની ટિકિટ પર 2022ની ગોવા વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને પ્રચાર ખર્ચ માટે પાર્ટીના સ્વયંસેવક દ્વારા રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે ‘સાઉથ ગ્રૂપ’ દ્વારા તેની તરફેણમાં આબકારી નીતિને પ્રભાવિત કરવા માટે ચૂકવવામાં આવેલી કુલ 90-100 કરોડની કુલ ગેરકાયદે રકમમાંથી 44.5 કરોડ રૂપિયાની રોકડ પાર્ટી દ્વારા ચૂંટણી સંબંધિત ખર્ચ માટે ગોવા મોકલવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code