1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર માર્યો
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર માર્યો

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર માર્યો

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળોએ દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓની દેશ વિરોધી પ્રવૃતિઓને ડામી દેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓને ઝડપી લેવા માટે તાજેતરમાં સુરક્ષાદવોએ અભિયાન શરૂ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન છત્રૂ વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં અન્ય આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા સ્થાનિક પોલીસ સાથે મળીને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code