1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી, પ્રવાસીઓનો બચાવ
ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી, પ્રવાસીઓનો બચાવ

ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી, પ્રવાસીઓનો બચાવ

0
Social Share
  • ધ્રોબા-કંડલા રૂટની એસટી બસમાં ધુમાડા દેખાતા ડ્રાઈવરે પ્રવાસીઓને બહાર કાઢ્યા,
  • ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમાં લીધી,
  • શોર્ટ-સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન

ભુજઃ જિલ્લાના શેખપીર ત્રણ રસ્તા નજીક એસટી બસમાં આગ એકાએક આગ લાગતા એસટી બસના ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને તમામ પ્રવાસીઓને બસમાંથી સલામતરીતે ઉતારી દીધા હતા. એટલે જાનહીની થઈ નથી. દરમિયાન આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનોએ દાડી આવીને પાણીનો મારો ચલાવીને આગના કાબુમાં લીધી હતી,

આ બનાવની વિગત એવી છે કે, ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ધ્રોબાથી કંડલા રૂટની લોકલ એસટી બસ નંબર GJ 18 Z 4754માં સવારે 10:10 વાગ્યે અચાનક આગ લાગી હતી. એસટીબસના ચાલકે એન્જિનમાંથી ઘૂમાડો જોતા જ એસટી બસ રોડ સાઈડ પર પાર્ક કરીને પ્રવાસીઓને ત્વરિત બસમાંથી ઉતરવાની સુચના આપી હતી. જેના કારણે કોઈ જાનહાની થઈ નથી.

એસટી બસના ડ્રાઈવરે  પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ભુજ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમને તરત જ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ડ્રાઇવર જીજ્ઞેશ જેઠવા, ફાયરમેન અરમાન પટ્ટણી અને વિશાલ ગોર સહિત ટ્રેનિંગ સ્ટાફે ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં ભારે ગરમીના દિવસોમાં આગનો આ બીજો બનાવ છે. આ અગાઉ રાધનપુર હાઇવે પર રાપરના કાનમેર પાટિયા પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code