1. Home
  2. ગુજરાતી
  3. આર્થિક મજબૂતી વધવાથી કરનો ભાર ઘટાડાશે : પીએમ મોદી
આર્થિક મજબૂતી વધવાથી કરનો ભાર ઘટાડાશે : પીએમ મોદી

આર્થિક મજબૂતી વધવાથી કરનો ભાર ઘટાડાશે : પીએમ મોદી

0
Social Share

ગ્રેટર નોઇડા : ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી વધતા જ લોકો પર કરનો ભાર ઓછો થશે, એવું PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જીએસટીમાં સુધારા એક સતત પ્રક્રિયા છે, જે ભારતની વિકાસ ગાથાને નવી ઊંચાઈ આપશે અને લોકોને બચત વધારવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી મોદીએ ગ્રેટર નોઇડા ખાતે ઇન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટમાં યોજાયેલા ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર મેળા‘ (યૂપીઆઈટીએસ)ના ઉદ્ઘાટન પછી હાજર સભ્યોને સંબોધિત કરતા કહ્યું કે, સરકારે 2017માં માલ અને સેવા કર (જીએસટી) અમલમાં લાવીને અપ્રત્ક્ષ કર પ્રણાલી સુધારવામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. તેમનું કહેવું હતું કે, “અર્થવ્યવસ્થા મજબૂત બનશે તો કરનો ભાર ઘટશે. દેશવાસીઓના આશીર્વાદથી જીએસટી સુધારણા ચાલુ રહેશે.”

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવકને કરમુક્ત કરવા અને જીએસટી 2.0 સુધારા જેવા પગલાંઓથી દેશના લોકો આ વર્ષમાં અઢી લાખ કરોડ રૂપિયાની બચત કરી શકશે. મોદીએ દેશના રક્ષા ક્ષેત્રના વિકાસ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે ભારતમાં એક અવુ પર્યાવરણીય તંત્ર વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં દરેક વસ્તુ પર મેડ ઇન ઇન્ડિયાનો ચિહ્ન જોવા મળશે. તેમણે ઉલ્લેખ કર્યો કે, રશિયા સાથેના સહયોગથી ઉત્તર પ્રદેશમાં એક ફેક્ટરીમાં એકે-203 રાઇફલનું ઉત્પાદન શરૂ થશે.

પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ માટે આમંત્રિત કરતાં જણાવ્યું કે, ભૂ-રાજકીય વિઘ્નો અને અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારત વિકાસ માટે આકર્ષક છે. અમારા પાસે લોકશાહી અને રાજકીય સ્થિરતા છે, યુવાન અને કુશળ શ્રમશક્તિ છે અને યુવાન ગ્રાહક આધાર છે. આ બધું વિશ્વના અન્ય કોઈ દેશમાં નથી.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code