1. Home
  2. ગુજરાતી
  3. આત્મનિર્ભર ભારતઃ દેશમાં 30 કરોડ મોબાઈલ ફોનનું થઈ રહ્યું છે ઉત્પાદન
આત્મનિર્ભર ભારતઃ દેશમાં 30 કરોડ મોબાઈલ ફોનનું થઈ રહ્યું છે ઉત્પાદન

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 30 કરોડ મોબાઈલ ફોનનું થઈ રહ્યું છે ઉત્પાદન

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, અમે વિશ્વમાં મોબાઈલ ફોનના બીજા સૌથી મોટા ઉત્પાદક બની ગયા છીએ. આજે ભારતમાં 30 કરોડ મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં ટેલિકોમ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સ્થાપના કરી રહી છે. આ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણમાં ઝડપથી વધારો થવાની ધારણા છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે છેલ્લા 10 વર્ષમાં 1.28 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ફોનની નિકાસ કરી છે. અગાઉ ભારતમાં મોટાભાગના મોબાઈલ ફોનની આયાત કરવામાં આવતી હતી અને નિકાસ માત્ર રૂ. 1,500 કરોડની હતી.મોબાઈલ ફોનના મૂલ્યવૃદ્ધિમાં 20 ટકાનો વધારો થયો છે અને આ એટલા માટે થયું છે કારણ કે અમારી સરકારે એફડીઆઈના ધોરણોમાં ફેરફાર કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code