1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મ્યુનિના કચરો ભરેલા વાહને અડફેટે લેતા સ્કૂટરસવાર 13 વર્ષના કિશોરનું મોત
સુરતમાં મ્યુનિના કચરો ભરેલા વાહને અડફેટે લેતા સ્કૂટરસવાર 13 વર્ષના કિશોરનું મોત

સુરતમાં મ્યુનિના કચરો ભરેલા વાહને અડફેટે લેતા સ્કૂટરસવાર 13 વર્ષના કિશોરનું મોત

0
Social Share
  • એકના એક પૂત્રના મોતથી પરિવારમાં શોક છવાયો
  • કચરો ભરેલા વાહને સાઈડલાઈટ આપ્યા વિના જોખમી વળાંક લઈ સ્કૂટરને ટક્કર મારી
  • શહેરના મેયરે તપાસના આદેશ આપ્યા

સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં મ્યુનિના કચરો વહન કરતા વાહનના ચાલકે બેદરકારીથી વાહન ચાલાવીને સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટર પર સવાર 13 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું. કચરો ભરેલા મ્યુનિના વાહનચાલકે સાઈજ લાઈટ આપ્યા વિના એકાએક ટર્ન મારતા સ્કૂટરને અડફેટે લીધુ હતું. જેમાં સ્કૂટરસવાર ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ નેહેતેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર્તિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો, જેના મૃત્યુથી પરિવાર ગમગીન છે.

આ બનાવની વિગતો એવી છે કે, મૂળ મહારાષ્ટ્ર અને ઉધનાના શિવનગરમાં 13 વર્ષીય કાર્તિક અનિલ નેહેતે તેના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે. મૃતક કિશોર રાત્રિના સમયે પોતાના બહેનો સાથે સ્કૂટર પર ઘર નજીક સોડા પીવા નીકળ્યો હતો. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનની કચરાની ગાડીએ પૂર ઝડપે આવી ટર્ન લઈને સ્કૂટરને અડફેટમાં  લીધુ હતુ. જેથી સ્કૂટરચાલક બહેન અને કાર્તિક ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર ઈજા થવાથી કાર્તિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો. આ સાથે જ ઇજાગ્રસ્ત થયેલા સ્કૂટરચાલક બહેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ઉધના પોલીસે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક કાર્તિકના પિતા અનિલ નેહેતે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે. કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ જોઇ બેઠો હતો. એકમાત્ર પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શોકમાં ગરકાવ પરિવારની હાલત ગંભીર છે. આ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. પરિવારની માગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેઇનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરાવવી જોઈએ.

સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે બીઆરટીએસમાં અકસ્માતની ઘટના બની ત્યારે ડ્રાઇવરો અને એજન્સીઓની તપાસ કરાવવામાં આવી હતી અને જે ડ્રાઇવરો પાસે લાયસન્સ ન હોય તેની સામે ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આજે જે ધોરણ-8ના વિદ્યાર્થીનું મોત થયું છે તેની પ્રાથમિક ઘટના એવી છે કે કચરાની ગાડી કચરો લેવા જઈ રહી હતી અને પાછળથી આ ત્રિપલ સવારી જઇ રહેલા સ્કૂટર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code