1. Home
  2. ગુજરાતી
  3. છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નક્સલવાદીઓ હથિયાર હેઠા મુકીને સામાન્ય પ્રવાહમાં જોડાવવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલવાદીઓએ શસ્ત્રો સાથે શરણઆગતિ સ્વિકારી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલીઓના શસ્ત્રો સાથે શરણાગતિને બિરદાવી છે.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલીઓની શસ્ત્રો સાથે શરણાગતિ ખુશીની વાત છે. તેમણે કહ્યું કે શરણાગતિ સ્વીકારનારા 21 નક્સલીઓમાંથી 13 વરિષ્ઠ કેડરનાં હતા.

અમિત શાહે કહ્યું કે મોદી સરકારના આહ્વાન પર મુખ્ય પ્રવાહમાં જોડાવા અને હિંસાનો ત્યાગ કરવા બદલ તેમણે તેમની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેમણે ફરીથી નક્સલીઓ જે હજુ પણ શસ્ત્રો લઈને ચાલી રહ્યા છે તેમને શક્ય તેટલી વહેલી તકે આત્મસમર્પણ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અમે 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code