1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ પ્લેન દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. એક-એક કરોડની સહાય કરાશે
અમદાવાદ પ્લેન દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. એક-એક કરોડની સહાય કરાશે

અમદાવાદ પ્લેન દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. એક-એક કરોડની સહાય કરાશે

0
Social Share

નવી દિલ્હીઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રશેખરે જણાવ્યું કે ટાટા ગ્રુપ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના તબીબી ખર્ચ ભોગવશે.આ ઉપરાંત, ટાટા ગ્રુપ બીજે મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય પૂરી પાડશે.

ટાટા ગ્રુપે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે,એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે થયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે.”

ચંદ્રશેખરે વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે એરલાઇનનું પ્રાથમિક ધ્યાન તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને મદદ કરવાનું છે.અમે ઘટનાસ્થળે કટોકટી પ્રતિભાવ ટીમોને મદદ કરવા અને અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય અને સંભાળ પૂરી પાડવા માટે અમારી બધી શક્તિથી કામ કરી રહ્યા છીએ.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 13 જૂન 2025ના રોજ ક્રેશ થઈ ગઈ. તેમાં 242 લોકો સવાર હતા. અકસ્માત બાદ, એર ઇન્ડિયાએ AI-171 માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1800 5691 444 જારી કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code