1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત
વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

0
Social Share
  • નેશનલ હાઈવે પર ગોલ્ડન ચોકડી નજીક બન્યો બનાવ
  • હીટ એન્ડ રનના બીજા બનાવમાં રાહદારીનું મોત
  • પોલીસે હાઈવે પરના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે  હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 વર્ષના ચંદ્રેશ ભરત જાદવ વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પરથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને વડોદરા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. ગત મોડી રાત્રે ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઇકચાલક મનોજ પ્રભુદાસ પરમારનું અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગોલ્ડન બ્રિજ પાસે ગત મોડી રાત્રે એક અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી બાઇક ચાલક મનોજ પ્રભુદાસ પરમાર (ઉ.વ. 39, રહે. લાલજીપુરા, સોખડા, તા.જી. વડોદરા)ને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં મનોજને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 વર્ષના ચંદ્રેશ ભરત જાદવ વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પરથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અકસ્માતના પ્રથમ બનાવમાં હરણી પોલીસ મથકમાં મૃતકના કાકા નટવરસિંહ પરસોત્તમદાસ પરમાર (ઉ.વ. 50, રહે. ત્રિમૂર્તિ હાઉસિંગ સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરા)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓનો ભત્રીજો બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ચાલકે અડફેટે લઈ ભાગી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનોજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના કાકા નટવરસિંહ પરમારે જણાવ્યું હતું કે, તે રાત્રે લગ્ન પ્રસંગથી આવતો હતો. મનોજ  મંજુસર GIDCમાં નોકરી કરતો હતો. અજાણ્યા વાહનની ટક્કરે તેનું મોત નિપજ્યું છે. એના પિતા રિટાયર્ડ છે અને તેઓ અગાઉ GSFCમાં નોકરી કરતા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code