1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ, 1 વ્યક્તિનું મોત, કાચ તોડીને દર્દીઓને બચાવ્યા
દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ, 1 વ્યક્તિનું મોત, કાચ તોડીને દર્દીઓને બચાવ્યા

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ, 1 વ્યક્તિનું મોત, કાચ તોડીને દર્દીઓને બચાવ્યા

0
Social Share

દિલ્હીના શાહદરાના આનંદ વિહાર વિસ્તારમાં આવેલી કોસ્મોસ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એકનું મોત નીપજ્યું છે.

વાસ્તવમાં, પૂર્વ દિલ્હીના આનંદ વિહારની હોસ્પિટલમાં બપોરે લગભગ 12 વાગ્યે આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગવાની માહિતી બપોરે 12:12 વાગ્યે મળી હતી, ત્યારબાદ આઠ ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

7 ઘાયલોને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા 
તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું કે સાત ઘાયલોને આનંદ વિહાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે. તેમણે કહ્યું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે કેસ નોંધ્યો
વિકાસ માર્ગ પર આવેલી કોસ્મોસ હોસ્પિટલમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે. આઠ દર્દીઓને નજીકની પુષ્પાંજલિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, કલમ 287/106(1) BNS (285/304A IPC) હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code