1. Home
  2. ગુજરાતી
  3. ઓપરેશન સિંધુ : ઈરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઑને પરત લવાયા
ઓપરેશન સિંધુ : ઈરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઑને પરત લવાયા

ઓપરેશન સિંધુ : ઈરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઑને પરત લવાયા

0
Social Share

નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જેના પ્રથમ પગલા તરીકે, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઉત્તરી ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ખાસ ફ્લાઇટમાં યેરેવનથી રવાના થયા છે અને આજે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યા છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે તેહરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢ્યા છે. આ સાથે, અન્ય લોકો, જેમની પાસે પોતાનું પરિવહન છે, તેમને પણ શહેર છોડવાની સલાહ આપવામાં આવી છે.

આ સાથે, કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઈરાન છોડવામાં મદદ કરવામાં આવી છે. શક્ય તમામ સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે દૂતાવાસે તેના લોકો સાથે સતત સંપર્કમાં છે. ભારતે ઈરાનમાં તેના નાગરિકો અને ભારતીય મૂળના લોકો (PIOs) ને તેહરાન વિસ્તારમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને તેહરાન ખાલી કરવા કહ્યું છે. આ લોકોને સલામત સ્થળે જવા અને દૂતાવાસે સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

ઈરાનમાં ભારતીય દૂતાવાસે ‘X’ પર પોસ્ટ કર્યું, “બધા ભારતીય નાગરિકો અને પીઆઈઓ, જેઓ પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને તેહરાન છોડી શકે છે, તેમને શહેરની બહાર સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવે છે. બધા ભારતીય નાગરિકો, જે તેહરાનમાં છે અને દૂતાવાસના સંપર્કમાં નથી, તેમને તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા અને તેમનું સ્થાન અને સંપર્ક નંબર પ્રદાન કરવા વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને +989010144557, +989128109115, +989128109109 પર સંપર્ક કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code