1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્લેન દૂર્ઘટનાઃ બોક્સના ડીવીઆરની તપાસ ફોરેન્સિક લેબમાં કરાશે
પ્લેન દૂર્ઘટનાઃ બોક્સના ડીવીઆરની તપાસ ફોરેન્સિક લેબમાં કરાશે

પ્લેન દૂર્ઘટનાઃ બોક્સના ડીવીઆરની તપાસ ફોરેન્સિક લેબમાં કરાશે

0
Social Share

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું સત્ય હવે બધાની સામે આવશે કારણ કે બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. બોક્સનું ડીવીઆર કાઢીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. તેના રેકોર્ડિંગથી ખબર પડશે કે દુર્ઘટના સમયે શું થયું હતું? વિમાન દુર્ઘટનાનું કારણ શું છે?

અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ હવે જાણી શકાશે, કારણ કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેનો ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) દુર્ઘટનાનાં રહસ્યો ખોલશે. ગુજરાત ATSએ કાટમાળમાંથી બ્લેક બોક્સ કાઢીને તપાસ ટીમને સોંપ્યું. હવે FSL ટીમ તેની તપાસ કરશે અને તેમાં રેકોર્ડ થયેલા ડેટા રજૂ કરશે. ફક્ત ડેટા જ જણાવશે કે વિમાન ઉડાન ભર્યું ત્યારથી ક્રેશ થયું ત્યાં સુધી શું થયું?

જણાવી દઈએ કે અમદાવાદના મેઘાણી નગરમાં એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. બોઈંગ ડ્રીમલાઈન 787-8 માં ફ્લાઇટ AI-171 એ અમદાવાદના સરદાર વલ્લભ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી હતી, પરંતુ ઉડાન ભરતાની સાથે જ વિમાન રેસિડેન્ટ ડૉક્ટર્સ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈને જમીન પર પડી ગયું. વિમાનમાં આગ લાગી ગઈ અને વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હવે વિમાનનું બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) મળી આવ્યું છે, જે દુર્ઘટનાના વાસ્તવિક કારણોનું રહસ્ય ઉકેલશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળવાની માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, “એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ અમદાવાદમાં દુર્ઘટના સ્થળ પરથી 28 કલાકની અંદર ફ્લાઇટ ડેટા રેકોર્ડર (બ્લેક બોક્સ) શોધી કાઢ્યું છે. આ તપાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઘટનાની તપાસમાં ઘણી મદદ કરશે.”

હકીકતમાં, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની પેસેન્જર ફ્લાઇટ AI 171 ગુરુવારે બપોરે ક્રેશ થઈ ગઈ. તેમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો. ગુરુવારે બપોરે 1:38 વાગ્યે વિમાને ઉડાન ભરતાની સાથે જ તે એરપોર્ટની બહાર સ્થિત હોસ્પિટલ હોસ્ટેલ સાથે અથડાયું અને તેમાં આગ લાગી ગઈ.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોમાં સામેલ છે. મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.

દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ દુર્ઘટના સ્થળ પર ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે લગભગ 20 મિનિટ સુધી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને રાહત કાર્યમાં રોકાયેલા અધિકારીઓ અને NDRF ટીમો પાસેથી માહિતી મેળવી હતી.

આ પછી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેઓ ઘાયલોને મળ્યા હતા, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશ સાથે પણ વાત કરી હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેટલાક ઘાયલો હોસ્ટેલના વિદ્યાર્થીઓ હતા. પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code