
તહેવારો માં રેલ્વે દ્વારા 6556 વિશેષ ટ્રેનો દોડાવાશે
રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વે, દિવાળી અને છઠ પૂજા માટે રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. જે અંતર્ગત હાપા-નાહરલાગુન સ્પેશ્યલ , ઓખા-ગાંધીગ્રામ (સાપ્તાહિક) ,ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ , ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ,ઓખા-મદુરાઈ સ્પેશિયલ , રાજકોટ-બરૌની સ્પેશિયલ ,રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ ,રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે.
આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે રેલવે ની વેબસાઇટ ની મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે.
tags:
6556 special trains Aajna Samachar Breaking News Gujarati by rail Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar in festivals Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news Will be rushed