1. Home
  2. ગુજરાતી
  3. ઉપરાષ્ટ્રપતિ ગુવાહાટી અને શિલોંગની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ ગુવાહાટી અને શિલોંગની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ ગુવાહાટી અને શિલોંગની મુલાકાત લેશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 16-17 ઓક્ટોબર, 2024ના રોજ ગુવાહાટી (આસામ) અને મેઘાલયના શિલોંગના બે દિવસીય પ્રવાસ પર રહેશે.

પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને ન્યૂ શિલોંગમાં માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે.

ઉપરાષ્ટ્રપતિ આઈટી પાર્ક અને રાજભવન શિલોંગની પણ મુલાકાત લેશે તથા મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાતનો પણ કાર્યક્રમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code