1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી યમુના સફાઈ: CM રેખા ગુપ્તાએ વઝીરાબાદ બેરેજ ખાતે નાળા અને નદી વિસ્તારનું નિરીક્ષણ કર્યું
દિલ્હી યમુના સફાઈ: CM રેખા ગુપ્તાએ વઝીરાબાદ બેરેજ ખાતે નાળા અને નદી વિસ્તારનું નિરીક્ષણ કર્યું

દિલ્હી યમુના સફાઈ: CM રેખા ગુપ્તાએ વઝીરાબાદ બેરેજ ખાતે નાળા અને નદી વિસ્તારનું નિરીક્ષણ કર્યું

0
Social Share

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે વઝીરાબાદ બેરેજ ખાતે અનેક મુખ્ય નાળાઓ અને યમુના નદીના એક ભાગનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને ‘રિવરફ્રન્ટ’ પ્રોજેક્ટ પર કામ કરવા નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના, જળ મંત્રી પ્રવેશ વર્મા અને દિલ્હી જળ બોર્ડ (ડીજેબી) અને સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીએ નદીની સફાઈ માટે ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને યમુના રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પર કામ કરવા નિર્દેશ આપ્યો હતો. આ પ્રોજેક્ટમાં નદીની લંબાઈ સાથે ચાલવા માટે રસ્તાઓ અને મનોરંજનના ક્ષેત્રો બનાવવાનો પણ સમાવેશ થાય છે.

યમુના નદીની સફાઈ એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું એક મુખ્ય ચૂંટણી વચન છે. મુખ્યમંત્રી ગુપ્તાએ વઝીરાબાદમાં પૂરક નાળા, બારાપુલા નાળા, સુનહરી પુલ નાળા અને કુશક નાળાનું પણ નિરીક્ષણ કર્યું અને ડિસિલ્ટિંગ પ્રોજેક્ટ્સ પર ચાલી રહેલા કામોનો પણ અભ્યાસ કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code