1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ’ની ઈચ્છા છતાં કોંગ્રેસ ગઠબંધન નહીં કરે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ’ની ઈચ્છા છતાં કોંગ્રેસ ગઠબંધન નહીં કરે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ’ની ઈચ્છા છતાં કોંગ્રેસ ગઠબંધન નહીં કરે

0
Social Share
  • પ્રભારીની ઉપસ્થિતિમાં પ્રદેશ કંગ્રેસની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
  • શક્તિસિંહ કહે છે, ગઠબંધન અંગે સ્થાનિક લેવલે કોઈ દરખાસ્ત આવી નથી
  • આપના ઈસુદાન કહે છે, ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર છીએ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારોની પસંદગીથી લઈને ગઠબંધન માટે રાજકીય પક્ષો સર્કિય બન્યા છે. આ ચૂંટણીમાં ભાજપની જેમ કોંગ્રેસે પણ કોઈ સાથે જોડાણ કર્યા વિના એકલે હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની મીટિંગ મળી હતી. જેમાં કોંગ્રેસે કોઈ સાથે ચૂંટણી જોડાણ કર્યા વિના એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે થયેલું કોંગ્રેસ-આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનનો અંત આવ્યો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે આ વખતે બન્ને પક્ષોમાં રાજકીય સહયોગ નહીં રહે. કોંગ્રેસ પક્ષની પ્રદેશ સ્તરની બેઠક તાજેતરમાં યોજાઇ હતી, જેમાં આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો હતો. હવે બન્ને પાર્ટી સ્વતંત્ર રીતે ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારશે. શનિવારે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર યોજાયેલી બેઠકમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં યોજાતી ચૂંટણી અંગેના તમામ નિર્ણય પ્રદેશ એકમ પર છોડી દેવામાં આવે છે. અમે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન રહેશે કે કેમ તે મુદ્દો ગુજરાત કોંગ્રેસ પર છોડ્યો છે. મીટિંગ પૂરી થયા બાદ વિધિવત્ જાહેરાત કરાઈ હતી કે, ગઠબંધન નહીં રહે. આ અંગે પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અમારી ગુજરાત પ્રદેશ એકમની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. અમારા પક્ષનું ઘણી અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન છે, પરંતુ તે રાષ્ટ્રીય કક્ષાએ છે, પણ સ્થાનિક રીતે રાજ્ય સ્તરના ગઠબંધનની કોઇ પક્ષની દરખાસ્ત આવી નથી અને આ અંગે અમારી કોઈ વિચારણા નથી.

આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના કહેવા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા AAP તૈયાર છે. ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી છે. કોંગ્રેસ સાથે લોકસભામાં AAP એ ગઠબંધન અને ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું ભાજપના સાશનથી મુક્તિ અપાવવા માટે AAP ગઠબંધન કરવા તૈયાર છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અજિત પવારની એનસીપી ભાજપ-કોંગ્રેસ બન્ને મતો તોડશે. પણ વધુ નુકશાન કોંગ્રેસને જશે. આ ચૂંટણીમાં અજિત પવારની એનસીપીએ એકલે હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. અને ઘાટલોડિયા મહાનગર પાલિકા વોર્ડની પેટાચૂંટણી માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. પાર્ટીએ આ ચૂંટણીમાં સ્થાનિક ભાજપની સરકારને પડકારી સત્તાવિરોધી મુદ્દા ઉઠાવવાનું નક્કી કર્યું છે, જો કે એનસીપી કોંગ્રેસના વોટ પણ કાપી શકે છે. આમ એનસીપીને કારણે ભાજપ-કોંગ્રેસ બન્નેને હેરાનગતિ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code