1. Home
  2. ગુજરાતી
  3. LAC પર ભારત અને ચીનના જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી, મીઠાઈની આપ-લે કરાઈ
LAC પર ભારત અને ચીનના જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી, મીઠાઈની આપ-લે કરાઈ

LAC પર ભારત અને ચીનના જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી, મીઠાઈની આપ-લે કરાઈ

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદી સમજૂતી અને વિવાદિત બિંદુઓ પરથી સૈનિકો હટાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં નવી ઉષ્મા જોવા મળી રહી છે. ભારત અને ચીનના સૈનિકોએ દિવાળીના અવસર પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના કેટલાક સરહદી બિંદુઓ પર મીઠાઈની આપ-લે કરી હતી. એક દિવસ અગાઉ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષનો મુદ્દો બનેલા ડેમચોક અને ડેપસાંગ વિસ્તારમાંથી બંને દેશોના સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધમાં સુધારો થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, LAC સાથેના પાંચ બોર્ડર પર્સનલ મીટિંગ (BPM) પોઈન્ટ પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે દિવાળીના અવસર પર મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. બંને પક્ષોના સૈનિકોએ ડેમચોક અને ડેપસાંગ બે બિંદુઓ પરથી સૈનિકોને પાછા ખેંચવાનું પૂર્ણ કરી લીધું છે અને ટૂંક સમયમાં જ આ બિંદુઓ પર પેટ્રોલિંગ શરૂ થશે. જો કે, સૈનિકો પાછા ખેંચાયા પછી, ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે અને ગ્રાઉન્ડ કમાન્ડરો વચ્ચે પેટ્રોલિંગની પદ્ધતિ નક્કી કરવાની બાકી છે. અહેવાલો અનુસાર, સ્થાનિક કમાન્ડર સ્તરે વાતચીત ચાલુ રહેશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 21 ઓક્ટોબરે દિલ્હીમાં જાહેરાત કરી હતી કે, અઠવાડિયાની વાતચીત બાદ ભારત અને ચીન વચ્ચે સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પૂર્વી લદ્દાખમાં LAC સાથે સૈનિકોના પેટ્રોલિંગ અને છૂટાછવાયા અંગેના કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, જે ચાર વર્ષથી ચાલતા મડાગાંઠને સમાપ્ત કરવાની દિશામાં એક મોટી સફળતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code