1. Home
  2. ગુજરાતી
  3. ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું
ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું

ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું

0
Social Share

નવી દિલ્હીઃ ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું છે. નેપાળમાં રચાયેલી નવી વચગાળાની સરકાર પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત બંને દેશો અને લોકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સુશીલા કાર્કીના નેતૃત્વમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નજીકના પાડોશી, સાથી લોકશાહી અને લાંબા સમયથી વિકાસ ભાગીદાર તરીકે ભારત બંને દેશો અને નાગરિકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.” સુશીલા કાર્કી, જે નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હતા, શુક્રવારે મોડી રાત્રે નેપાળના પ્રથમ વચગાળાના મહિલા પ્રધાનમંત્રી બન્યા. સુશીલા કાર્કીને રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.

‘જેન ઝી’ વિરોધીઓ, નેતાઓ, રાષ્ટ્રપતિ પૌડેલ અને અન્ય કાનૂની નિષ્ણાતો સાથે ઘણા દિવસોની ચર્ચા પછી, આખરે શુક્રવારે મોડી સાંજે વચગાળાના પ્રધાનમંત્રી માટે સુશીલા કાર્કીના નામ પર સર્વસંમતિ બની. સુશીલા કાર્કી કેપી શર્મા ઓલીનું સ્થાન લેશે, જેમણે મંગળવારે ભ્રષ્ટાચારના આરોપો અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે મોટાપાયે યુવાનોના વિરોધ વચ્ચે રાજીનામું આપ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code