1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરઃ ભારતીય જવાનોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં
જમ્મુ-કાશ્મીરઃ ભારતીય જવાનોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય જવાનોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં

0
Social Share
  • આંતકીઓ સાથે અથડામણમાં ભારતીય જવાન શહીદ
  • સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી
  • સમગ્ર વિસ્તારમાં આર્મીનું સર્ચ અભિયાન યથાવત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડાના અસાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. આ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે, ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઇફલ્સના એક કેપ્ટન શહીદ થયાં છે. આ વિસ્તારમાં લોહીના ડાઘ મળ્યા હતા, જેના પછી સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ એમ4 રાઈફલ કબજે કરી છે. આ ઉપરાંત દારૂગોળો અને લોજિસ્ટિક્સ સામગ્રી પણ મળી આવી છે. આ સાથે ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ ડોડાના અસાર વિસ્તારમાં ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સર્ચ પાર્ટીનું નેતૃત્વ કરતી વખતે એન્કાઉન્ટરમાં એક સેના અધિકારી ઘાયલ થયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શહીદ કેપ્ટન દીપક 48 રાષ્ટ્રીય રાઈફલ્સના છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, કેપ્ટન દીપકે નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓને ખતમ કરવા માટે જવાનોને નિર્દેશ આપવાનું ચાલુ રાખ્યું હતું. એન્કાઉન્ટરમાં તેમને ગોળી વાગી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ અસારમાં એક નદી પાસે છુપાયા હતા.

મંગળવારે ઉધમપુરના રામનગર તહસીલના ડુડુ બસંતગઢના પહાડી વિસ્તારમાં ચાર આતંકીઓ જોવા મળ્યા હતા. મોડી સાંજે સુરક્ષા દળોએ આતંકીઓની હાજરીને લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોને ઘેરી લેતા જોઈને આતંકીઓ અસાર થઈને સીઓજધાર થઈને ડોડા જિલ્લા તરફ આગળ વધ્યા હતા.

#DodaEncounter, #TerroristsKilled,#IndianArmyOps, #JammuAndKashmir, #CounterTerrorism, #DodaDistrict, #EncounterInDoda, #TerrorismInJandK, #IndianForcesVictory,  #JandKNews

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code