1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની ‘યોગાંધરા 2025’ પહેલની પ્રશંસા કરી
નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની ‘યોગાંધરા 2025’ પહેલની પ્રશંસા કરી

નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની ‘યોગાંધરા 2025’ પહેલની પ્રશંસા કરી

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર નજીક આયોજિત યોગાંધ્રા 2025 કાર્યક્રમમાં યોગ ઉત્સાહીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી. ટ્વિટર પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે યોગાંધ્રા 2025એ આંધ્રપ્રદેશના લોકો દ્વારા યોગને લોકપ્રિય બનાવવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા એક નિવેદનમાં જારી કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા શેર કરાયેલી પોસ્ટનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું, “યોગ દિવસ 2025 પ્રત્યે વધતો ઉત્સાહ જોઈને આનંદ થયો. #Yogandhra2025એ આંધ્રપ્રદેશના લોકો દ્વારા યોગને લોકપ્રિય બનાવવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. હું 21મી તારીખે આંધ્રપ્રદેશમાં યોગ દિવસ ઉજવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તેમણે X પર કહ્યું, હું તમને બધાને યોગ દિવસ ઉજવવા અને યોગને નિયમિતપણે તમારા જીવનનો ભાગ બનાવવા માટે આહ્વાન કરું છું.”

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન) પહેલા દેશભરમાં વિશાળ યોગ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ આંધ્રપ્રદેશના પુલીગુંડુ ટ્વીન હિલ્સ વચ્ચે યોજાયો હતો, જ્યાં 2,000થી વધુ યોગ ઉત્સાહીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2025 માટે આંધ્રપ્રદેશમાં એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમની શરૂઆત કરવા માટે એકઠા થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code