1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો
પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો

0
Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયો અને અન્ય દેશોના મિત્રોને ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવે છે અને તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે.

તેમણે X પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, “અમારા પ્રવાસી સમુદાયની સાથેના બોન્ડને મજબૂત બનાવવું! વિદેશમાં રહેતા ભારતીય સમુદાય અને અન્ય દેશોના મિત્રોને #BharatKoJaniye ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કરો!

આ ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસીઓ વચ્ચેના જોડાણને વધુ ગાઢ બનાવે છે. તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે. વિજેતાઓને #IncredibleIndia ના અજાયબીઓનો અનુભવ કરવાની તક મળશે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code