1. Home
  2. ગુજરાતી
  3. રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી
રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી

રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી

0
Social Share

નવી દિલ્હીઃ રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી છે. લોકસભાએ ગત ચોમાસુ સત્રમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. આ વિધેયકમાં કોઇપણ વિમાનની આયાત નિકાસ, વેચાણ કે ઉત્પાદનને લગતા નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને અપાઇ છે. આ ઉપરાંત આ વિધેયકમાં કોઇપણ વિમાન અકસ્માત બાબતે તપાસ કરવાના નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને આપવાની જોગવાઇ છે.

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયનમંત્રી કે.રામમોહન નાયડુએ આ વિધેયકની પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહમાં જણાવ્યું હતું કે, ભારતને ઉડ્ડયન ક્ષેત્રનું કેન્દ્ર બનાવવાનું ધ્યેય આ વિધેયકમાં રખાયું છે. આ વિધેયકમાં રોજગારની તકો અને ઉડ્ડયન ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિને વધારવાની બાબતને પણ આવરી લેવાઇ છે. વિમાનના વધારે પડતા ભાડા અંગે બોલતાં શ્રી નાયડુએ કહ્યું કે, આ અંગે સરકારે વિમાન કંપનીઓને રજૂઆત કરી છે. જો કે, રાજય સરકારો દ્વારા વસૂલાતા કરવેરા અને ઇંધણની વધતી કિંમતોનીઅસર વિમાન ભાડા ઉપર થાય છે. આજે રાજયસભામાં સત્તાધારી અને વિપક્ષના સભ્યોએ આ વિધેયક તેમજ ઉડ્ડયન ક્ષેત્રની વિવિધ બાબતો અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code