1. Home
  2. ગુજરાતી
  3. લખનઉમાં મકાન ધરાશાયી થતા 5 લોકોના મોત
લખનઉમાં મકાન ધરાશાયી થતા 5 લોકોના મોત

લખનઉમાં મકાન ધરાશાયી થતા 5 લોકોના મોત

0
Social Share

લખનઉ: ટ્રાન્સપોર્ટ નગર નજીક શનિવારે સાંજે પડી ગયેલી ત્રણ માળની ઈમારતના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે ઘણા કલાકો સુધી બચાવ કામગીરી ચાલી હતી. આ દરમિયાન 28 લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.

રાહત વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરોજિની નગરના ટ્રાન્સપોર્ટ નગરમાં સ્થિત ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. જેના કારણે કાટમાળ નીચે દબાઈને પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ આશિયાનાના પંકજ (40), બંથરાના રહેવાસી ધીરજ (48), અરુણ સોનકર, આલમબાગ રોડના રહેવાસી રાજકિશોર (27) અને ગોમતી નગરના રહેવાસી જસમીત સિંહ સાહની (41) તરીકે થઈ છે.

ઘાયલોમાં રાજેન્દ્ર, ભાનુ, શત્રુઘ્ન, શિવમોહન, પ્રવીણા, શાંતિદેવી, આદર્શ યાદવ, કાજલ, આકાશ કુમાર, આકાશ સિંહ, વિનોદ યાદવ, આદિત્ય, આકાશ કુમાર, અનુપ કુમાર મૌર્ય, બહાદુર,

ઓમ પ્રકાશ, હેમંત પાંડે, સુનીલ, દીપક કુમાર, વિનીત કશ્યપ, લક્ષ્મી શંકર, અતુલ રાજપૂત, નીરજ, લક્ષ્મી શંકર, શશાંક, સોનુ અને ઉર્મિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં પાંચ મહિલાઓ અને 23 પુરૂષો ઘાયલ થયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ, પીએસી, સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ કેટલાક કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરી હતી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code