
- NIA ની ટીમે દિલ્હીથી જવાનની કરી અટકાયત
- સોશિયલ મીડિયા મારફતે ISI ના સંપર્કમાં આવ્યો હતો
- ગુપ્ત માહિતીના બદલામાં જવાનને મળતા હતા નાણા
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકાર અને સૂરક્ષા એજન્સીઓ દ્વારા પાકિસ્તાન માટે જાસુસી કરનાર જાસુસોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાન માટે જાસુસીના કેસમાં જાણીતી યુટ્યુબર જ્યોતિ મલહોત્રા સહિત કેટલીક વ્યક્તિઓને ઝડપી લઈને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. દરમિયાન પાકિસ્તાન માટે જાસુસી કરનાર સીઆરપીએફના એક જવાનની એનઆઈએની ટીમે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. એનઆઈએ દ્વારા જવાનની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સીઆઈએસએફના જવાનનું નામ મોતી રામ હોવાનું જાણવા મળે છે. એનઆઈએની ટીમે તેની દિલ્હીથી ધરપકડ કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીથી એક CRPF જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે તે દેશ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. રિપોર્ટ અનુસાર, જવાનને માહિતી મોકલવા બદલ પૈસા મળતા હતા. આ કામ માટે તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. ભારતના ઓપરેશન સિંદૂર પછી, દેશમાંથી ઘણા જાસૂસો પકડાયા છે. NIA એ CRPF જવાનની પૂછપરછ શરૂ કરી છે. તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના સંપર્કમાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, જવાને સોશિયલ મીડિયા દ્વારા દેશ સાથે સંબંધિત ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું હતું. આના બદલામાં તેને પૈસા પણ મળ્યા હતા.