1. Home
  2. ગુજરાતી
  3. પ્રતિબંધિત PFIના હિટલિસ્ટમાં 972 લોકો હોવાનો NIA ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પ્રતિબંધિત PFIના હિટલિસ્ટમાં 972 લોકો હોવાનો NIA ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

પ્રતિબંધિત PFIના હિટલિસ્ટમાં 972 લોકો હોવાનો NIA ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

0
Social Share

બેંગ્લોરઃ કેરળમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના ખતરનાક કાવતરાઓનો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કોર્ટને જણાવ્યું હતું કે PFI પાસે લગભગ 972 લોકોની હિટલિસ્ટ છે, જેમાં અન્ય સમુદાયોના પ્રભાવશાળી લોકો, ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

NIA દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, PFI એ તેની ગુપ્ત ‘રિપોર્ટર્સ વિંગ’ દ્વારા આ લોકોની વ્યક્તિગત માહિતી એકત્રિત કરી હતી. તેમાં નામ, ઉંમર, ફોટો, પદ અને દૈનિક પ્રવૃત્તિઓની વિગતો પણ હતી. આ માહિતી જિલ્લા સ્તરે એકત્રિત કરવામાં આવી હતી અને સંગઠનના રાજ્ય સ્તરના નેતાઓને મોકલવામાં આવી હતી.

એજન્સીએ કહ્યું કે PFI ની ત્રણ મુખ્ય શાખાઓ છે. ‘રિપોર્ટર્સ વિંગ’, ‘ફિઝિકલ એન્ડ આર્મ્સ ટ્રેનિંગ વિંગ’ અને ‘સર્વિસ વિંગ/હિટ ટીમ્સ’. રિપોર્ટર્સ વિંગ એ સંગઠનની એક પ્રકારની ગુપ્તચર શાખા હતી, જે ખાસ કરીને હિન્દુ સમુદાયના નેતાઓ વિશે માહિતી એકત્રિત કરતી હતી. જરૂર પડ્યે આ માહિતીનો ઉપયોગ હત્યા જેવા હુમલા કરવા માટે કરવામાં આવતો હતો.

આ વાત ત્યારે બહાર આવી જ્યારે NIAએ વર્ષ 2022માં વરિષ્ઠ RSS નેતા એસકે શ્રીનિવાસનની હત્યા કેસમાં આરોપી કેટલાક લોકોની જામીન અરજીનો વિરોધ કરતી વખતે કોર્ટમાં આ દસ્તાવેજો રજૂ કર્યા હતા. 16 એપ્રિલ 2022ના રોજ તેમની દુકાનમાં PFI કાર્યકરો દ્વારા શ્રીનિવાસનની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.

NIAએ કોર્ટને જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલા દસ્તાવેજોમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે 972 લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં એક ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, એજન્સીએ ‘પેરિયાર વેલી કેમ્પસ’ પણ જપ્ત કર્યું છે, જે PFIનું કથિત શસ્ત્ર તાલીમ કેન્દ્ર હોવાનું કહેવાય છે.

નોંધનીય છે કે સપ્ટેમ્બર 2022માં કેન્દ્ર સરકારે PFI અને તેની સાથે સંકળાયેલા ઘણા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે તેમના પર ISIS જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. NIA સતત PFI સંબંધિત કેસોની તપાસ કરી રહી છે અને આ નવો ખુલાસો સંગઠનની ખતરનાક માનસિકતા અને સુઆયોજિત હિંસક પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code