1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ પૂર રાહત મિશનની શરૂઆત કરી
પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ પૂર રાહત મિશનની શરૂઆત કરી

પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ પૂર રાહત મિશનની શરૂઆત કરી

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એમ્સ નવી દિલ્હીની ડૉક્ટરો અને નર્સોની ટીમે આજે શનિવારે પોતાના મિશનની શરૂઆત કરી છે. ટીમે પોતાની સફરની શરૂઆત પંજાબના અજનાલા વિસ્તારથી કરી છે, જે પૂરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. ત્યારબાદ આ ટીમ રામદાસ અને અન્ય પ્રભાવિત વિસ્તારોમાં જશે, જ્યાં તબીબી સહાય અને માનવીય સહયોગ આપવામાં આવશે. એમ્સની આ પહેલ માત્ર આરોગ્ય સેવાઓ પૂરતી જ સીમિત નથી, પરંતુ તે પીડિતો વચ્ચે વિશ્વાસ અને સહાનુભૂતિનો સંદેશ પણ પહોંચાડી રહી છે. દવાઓ, તબીબી નિષ્ણાત અને કરુણા સાથે એમ્સની આ ટીમ પૂર પીડિતો સુધી “હીલિંગ ટચ” પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા, એમ્સ નવી દિલ્હીએ શુક્રવારે પંજાબ અને ઉત્તર ભારતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ગતિ આપવા માટે વિશેષ પહેલ કરી હતી. આ પહેલ અંતર્ગત સંસ્થાએ ડૉક્ટર અને નર્સોની એક સમર્પિત ટીમ મોકલી છે, જે પ્રભાવિત વિસ્તારોમાં રહીને લોકોને તબીબી સહાય અને માનવીય સહયોગ આપશે. ટીમમાં મેડીસિન, મનોવિજ્ઞાન, બાળ તબીબી વિજ્ઞાન, સમુદાય તબીબી વિજ્ઞાન, સર્જરી, રેડિયોલોજિકલ નિદાન અને પ્રયોગશાળા તબીબી વિજ્ઞાન જેવા વિભાગોના નિષ્ણાત ડૉક્ટરોનો સમાવેશ થાય છે. સાથે જ, મુખ્ય નર્સિંગ અધિકારીના કચેરીમાંથી વરિષ્ઠ અને અનુભવી નર્સિંગ અધિકારીઓ પણ આ મિશનમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં આ ડૉક્ટરો અને નર્સો સતત કાર્ય કરતાં રહેશે, જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે, દવાઓનું વિતરણ કરશે અને જરૂરિયાતમંદ લોકોને તમામ સંભવિત સહાય પૂરી પાડશે. એમ્સે જણાવ્યું કે આ તેમની સામાજિક જવાબદારીનો એક ભાગ છે અને તે દર્દી સેવા, શિક્ષણ અને સંશોધનની ત્રિમૂર્તિ મિશન ભાવના પર આધારિત છે, જેમાં માનવતાની સેવા કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code