વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો
નવી દિલ્હી: વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે.
વિયેતનામ સરકારે પૂર બાદ પુનર્નિર્માણ કાર્યમાં મધ્ય વિયેતનામના ચાર શહેરો અને પ્રાંતોને મદદ કરવા માટે આશરે એક કરોડ 80 લાખ અમરીકી ડોલરના કટોકટી રાહત ભંડોળને મંજૂરી આપી છે. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હે મધ્ય પ્રાંતોમાં પૂર અને અન્ય કુદરતી આફતોનો સામનો કરવા માટે પગલાં ઝડપી બનાવવા અપીલ કરી છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Death toll floods Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Landslides Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Rises to 90 Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar Vietnam viral news


