1. Home
  2. ગુજરાતી
  3. બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા કવાયત તેજ કરી
બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા કવાયત તેજ કરી

બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા કવાયત તેજ કરી

0
Social Share

મુંબઈઃ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરે તેવી શકયતા છે. માહિતી અનુસાર, આ કેસમાં કુલ 26 ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, જેમાં ત્રણ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવશે, ફરાર આરોપીઓમાં શુભમ લોંકર, જીશાન અખ્તર અને લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈનો સમાવેશ થાય છે.

સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને હજુ સુધી હત્યાના કારણ અંગે કંઈ નક્કર મળ્યું નથી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ SRA વિવાદ એંગલની તપાસ કરી હતી પરંતુ પોલીસને એવું કંઈ જ મળ્યું નથી કે જે દર્શાવે છે કે SRA પ્રોજેક્ટ હત્યાનું કારણ હોઈ શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ હાલમાં માની રહી છે કે બાબા સિદ્દીકી હત્યાનું કારણ સલમાન ખાનની નજીક હતો.

પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી આ કેસમાં ફરાર આરોપી શુભમ લોંકર અને ઝીશાન અખ્તરની ધરપકડ ન થાય ત્યાં સુધી હત્યાનું અન્ય કોઈ કારણ દેખાતું નથી. NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેઓ તેમના પુત્ર અને બાંદ્રાના ધારાસભ્ય જીશાન સિદ્દીકીને તેમની ઓફિસમાં મળવા જતા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને ઘાટકોપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code