1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસના નેતૃત્વએ પ્રણવ મુખર્જીના અવસાન બાદ કોઈ શોકસભા બોલાવી પણ ન હતીઃ શર્મિષ્ઠા મુખર્જી
કોંગ્રેસના નેતૃત્વએ પ્રણવ મુખર્જીના અવસાન બાદ કોઈ શોકસભા બોલાવી પણ ન હતીઃ શર્મિષ્ઠા મુખર્જી

કોંગ્રેસના નેતૃત્વએ પ્રણવ મુખર્જીના અવસાન બાદ કોઈ શોકસભા બોલાવી પણ ન હતીઃ શર્મિષ્ઠા મુખર્જી

0
Social Share

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું અલગ સ્મારક બનાવવાના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ તેમના પિતાના અવસાન બાદ કોઈ શોકસભા પણ બોલાવી નથી.

શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ ઓગસ્ટ 2020 માં તેમના પિતાના અવસાન પર કોઈ શોકસભા યોજી ન હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રપતિ માટે આવી બેઠકોનું આયોજન કરવામાં આવતું નથી, જેને તેમણે “અત્યંત વાહિયાત” ગણાવી હતી.

શર્મિષ્ઠા મુખર્જીએ એ પણ ખુલાસો કર્યો કે તેમને પિતાની ડાયરીમાંથી જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના નિધન પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી અને શોક સંદેશનો ડ્રાફ્ટ પણ તેમના પિતા પ્રણવ મુખર્જીએ તૈયાર કર્યો હતો. તેમણે કોંગ્રેસના આ વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

શર્મિષ્ઠા મુખર્જીએ ભાજપના નેતા સી.આર. કેશવને એક પોસ્ટ પણ ટાંકી કે કેવી રીતે કોંગ્રેસે અન્ય પક્ષના નેતાઓને અવગણ્યા કારણ કે તેઓ “ગાંધી પરિવાર” ના સભ્ય ન હતા. તેમણે એ પણ યાદ અપાવ્યું કે કોંગ્રેસે 2004 માં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ માટે દિલ્હીમાં કોઈ સ્મારક બનાવ્યું નથી, ન તો દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code