1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ પણ કેટલાક વિષયોના પાઠ્ય-પુસ્તકો વિના શિક્ષણ કાર્ય શરૂ
શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ પણ કેટલાક વિષયોના પાઠ્ય-પુસ્તકો વિના શિક્ષણ કાર્ય શરૂ

શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ પણ કેટલાક વિષયોના પાઠ્ય-પુસ્તકો વિના શિક્ષણ કાર્ય શરૂ

0
Social Share
  • નવા પાઠ્ય પુસ્તકો માટે હજુ મહિનો રાહ જોવી પડશે,
  • વિક્રેતાઓ પુરતો ઓર્ડર આપે છે, છતાં 30 ટકા જ પુસ્તકો મોકલવામાં આવે છે,
  • શાળા પ્રવેશોત્સવ સુધીમાં પુસ્તકો મળવાની શક્યતા નહીંવત

અમદાવાદઃ ગુજરાતમાં 9મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કેટલાક વિષયોના પાઠ્ય પુસ્તકો મળતા નથી, ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને આ સમસ્યા નડી રહી છે. પુસ્તક વિક્રેતાઓને ત્યા વિદ્યાર્થીઓ ધક્કા ખાય રહ્યા છે. વિદ્યાર્થીઓને હજુ પૂરતા પ્રમાણમાં પુસ્તકો મળી શક્યા નથી. પૂરતા પુસ્તકો વિના જ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. પુસ્તક વિક્રેતાઓના કહેવા મુજબ  તમામ શાળાઓમાં અને બધા જ વિદ્યાર્થીઓને પુસ્તકો મળતા હજુ એકાદ મહિના જેટલો સમય લાગી શકે છે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને અત્યાર સુધીમાં કુલ 4.50 કરોડથી વધુની રકમનો પુસ્તકોનો ઓર્ડર કરાયો હતો. પણ હાલની સ્થિતિએ માત્ર 1.25 કરોડ રૂપિયાના પાઠ્ય પુસ્તકો જ પહોંચાડવામાં આવ્યા છે. એટલે કે સૌરાષ્ટ્રને હજુ આશરે 3.25 કરોડના પુસ્તકોની ઘટ છે. ઉત્તર ગુજરાતની શાળાઓમાં પણ આવી સ્થિતિ છે.

ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ધોરણ 3થી 9 સુધી ભણતા વિદ્યાર્થીઓને કેટલાક વિષયોના પાઠ્ય પુસ્તકોની અછત સર્જાઈ છે. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સાથે જોડાયેલા  પાઠ્યપુસ્તકોના વિક્રેતાઓના કહેવા મુજબ જેટલાં પાઠ્ય પુસ્તકો મગાવવામાં આવેલા છે તેમાંથી માંડ 30% જેટલો સ્ટોક આવેલો છે. ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી, ધોરણ 8ના ગુજરાતી, ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના પુસ્તકો, ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પાઠ્યપુસ્તક આવ્યું નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1થી 12નો પૂરેપૂરો સેટ એકપણ રાઉન્ડમાં આવ્યો નથી. જેથી વિદ્યાર્થીઓને વાલીઓને પુસ્તકોનો પૂરો સેટ મળતો નથી.

રાજ્યમાં આગામી 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.. શાળા પ્રવેશોત્સવ પહેલાં તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાનું આયોજન કરાયું હતું, પરંતુ આગામી 10-12 દિવસમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળી જાય તેવી શક્યતા નહીંવત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code