1. Home
  2. ગુજરાતી
  3. ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી
ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

0
Social Share

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ જોયું કે આસિફે આતંકવાદી સંગઠનોને ટેકો, તાલીમ અને ભંડોળ આપવાની કબૂલાત કરી હતી.’

પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફેની આ કબૂલાતથી કોઈને આશ્ચર્ય થયું નથી કારણ કે પાકિસ્તાન એક બદમાશ રાષ્ટ્ર છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આ ક્ષેત્રને અસ્થિર બનાવે છે. દુનિયા હવે આ ભય સામે આંખ આડા કાન કરી શકે નહીં. પહલગામ આતંકવાદી હુમલામાં 2008ના મુંબઈ હુમલા પછી સૌથી વધુ મૃત્યુ થયા છે.

તેમણે કહ્યું કે, ‘ભારત પહલગામ હુમલા પછી વિશ્વભરના દેશો અને તેમના નેતાઓ તરફથી મળેલા સમર્થનની હૃદયપૂર્વક પ્રશંસા કરે છે. આ આતંકવાદ પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયની શૂન્ય સહિષ્ણુતા નીતિનો પુરાવો છે. અમે કોઈપણ સ્વરૂપમાં આતંકવાદની નિંદા કરીએ છીએ.’
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદ અને આતંકવાદી ભંડોળને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે, ‘અમે 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code