1. Home
  2. ગુજરાતી
  3. બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો
બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો

બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો

0
Social Share

જેરૂસલેમ: વર્ષ 2023માં 7મી ઓક્ટોબરના રોજ હમાસના આંતકાવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ખાતમાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝા વિસ્તારમાં લોકોની વચ્ચે છુપાયેલા આતંકીઓને શોધી-શોધીને ઠાર માર્યાં છે. દરમિયાન આસપાસના દેશના આતંકવાદી સંગઠનો ઈઝરાયલની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કેટલાક આતંકવાદી સંગઠનો ઈઝરાયલ ઉપર હુમલા કરી રહ્યાં છે, જેથી ઈઝરાયલે તેમનો ખાતમો બોલાવવા ઓપરેશન વધારે તેજ બનાવ્યું છે. તાજેતરમાં લેબનાનમાં હિઝબુલ્લાના વડા નસરાલ્લાહ સહિતના નેતાઓને ઠાર માર્યાં હતા. દરમિયાન હવે ઈઝરાયલની સેનાએ લેબનાનના બેરુતમાં હુમલા વધુ તેજ કરીને હિઝબુલ્લાના ટોચના કમાન્ડર સુહૈલ હુસૈનીને માર્યો હોવાનું જાણવા મળે છે.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે 7 ઓક્ટોબરના હમાસ હુમલાની વર્ષગાંઠ નિમિત્તે બેરૂતમાં એક હુમલામાં વરિષ્ઠ હિઝબુલ્લા કમાન્ડરને માર્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે સુહૈલ હુસૈની એરસ્ટ્રાઈકમાં ઠાર મારવામાં આવ્યો છે., જેઓ આતંકવાદી જૂથના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટની દેખરેખ માટે જવાબદાર હતો. હિઝબુલ્લાએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

 સૈન્યએ જણાવ્યું હતું કે હુસૈની ઈરાનથી આધુનિક શસ્ત્રોના સપ્લાય અને વિવિધ હિઝબુલ્લા એકમોના તેના વિતરણમાં સામેલ હતો અને તે જૂથની લશ્કરી પરિષદનો સભ્ય હતો. ઇઝરાયેલે તાજેતરના સપ્તાહોમાં ટોચના હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ અને ઘણા ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે. તેણે ગયા અઠવાડિયે દક્ષિણ લેબનોનમાં મર્યાદિત જમીન આક્રમણ શરૂ કર્યું હતું. હિઝબોલ્લાહે કહ્યું કે, તેણે તેના મૃત કમાન્ડરોને નવી નિમણૂંકો સાથે બદલી દીધા છે. તેણે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી ઈઝરાયેલ પર રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રાખવાનું વચન આપ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code