1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં જગન્નાથજીની 148મી જળયાત્રા વાજતે-ગાજતે નિકળીને નીજ મંદિરે પરત ફરી
અમદાવાદમાં જગન્નાથજીની 148મી જળયાત્રા વાજતે-ગાજતે નિકળીને નીજ મંદિરે પરત ફરી

અમદાવાદમાં જગન્નાથજીની 148મી જળયાત્રા વાજતે-ગાજતે નિકળીને નીજ મંદિરે પરત ફરી

0
Social Share
  • જળયાત્રામાં મહંત દિલિપદાસજી, ટ્રસ્ટીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા,
  • મહંત, ટ્રસ્ટીઓએ ક્રૂઝ પર સવાર થઇને સાબરમતી નદીના મધ્યમાં જઈને જળ લીધું,
  • નીજ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કરાયો

અમદાવાદઃ શહેરમાં ભાગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અષાઢી બીજને 27મી જુને યોજાશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે જેઠસુદ પુનમના દિને જગન્નાથજીના મંદિરથી જળયાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જળયાત્રામાં હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ ક્રૂઝ પર બેસીને મંદિરના મહંત દિલિપદાસજી, ટ્રસ્ટીઓ, રાજકીય નેતાઓ નદીના મધ્યમાં પહેંચ્યા હતા. અને ત્યાંથી જળભરીને ક્રુઝમાં કિનારે પરત ફર્યા હતા.બાદ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ જળયાત્રાએ નિજમંદિર તરફ પ્રયાણ કર્યું હતુ.અને ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો હતો.

શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથજીના મંદિરથી આજે જળયાત્રા વાજતે ગાજતે નિકળી હતી. જળયાત્રામાં મંદિરના મહંત દિલિપદાસજી, મંદિરના ટ્રસ્ટીઓ, વગેરે જોડાયા હતા. શણગારેલા હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે જળયાત્રાનો પ્રારંભ થયો હતો. અને જળયાત્રા સાબરમતી નદીના કિનારે પહોંચી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઇ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું હતું. દર વર્ષે સોમનાથ ભૂદરના આરેથી જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ જળ લાવવામાં આવ્યું હતું,  જળયાત્રામાં મેયર પ્રતિભા જૈન સહિત ભાજપ અને કોગ્રેસના પદાધિકારીઓ, ધારાસભ્યો સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

જળયાત્રા નીજ મંદિરે પરત ફર્યા બાદ ભગવાનને જળાભિષેક કરાયો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા-સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચુકી છે અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code