1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું
આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

0
Social Share

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. તો દરેક પાર્ટીએ આ આતંકવાદ સામે લડવા અને સરકાર સાથે રહેવા જણાવ્યું હતું.. બેઠકની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code